Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Lenalidomide ઉપયોગ

મલ્ટિપલ માયેલોમા (લોહીનું એક પ્રકારનું કેન્સર) અને લેપ્રા પ્રતિક્રિયા ની સારવારમાં Lenalidomide નો ઉપયોગ કરાય છે

Lenalidomide કેવી રીતે કાર્ય કરે

Lenalidomide એ કેન્સરના કોષો સામે લડવા રોગપ્રતિરક્ષા તંત્રને પ્રોત્સાહિત કરે છે અને સોજા અને દુખાવાનું કારણ બનતાં રસાયણોને અવરોધે છે.

Lenalidomide ની સામાન્ય આડઅસરો

માથાનો દુખાવો, નિર્બળતા, ઉબકા, લાલ ચકામા, હાંફ ચઢવો, ચક્કર ચડવા, ઘેન, એડેમા, ભૂખમાં ઘટાડો, સફેદ રક્તકોષોની સંખ્યામાં ઘટાડો, લોહીમાં કેલ્શિયમના સ્તરમાં ઘટાડો, વજનમાં વધારો, સ્નાયુ નબળાં પડવાં, થકાવટ, તાવ, ચિંતા, Blood clots , સૂકી ત્વચા, વજન ઘટવું, મૂંઝવણ, ઘટેલ સફેદ રક્ત કોષ (ન્યૂટ્રોફિલ), ન્યૂરોપથી, કબજિયાત, ધ્રૂજારી
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Lenalidomide માટે નિષ્ણાત સલાહ

  • લેનાલિડોમાઈડથી ચેપ અને લોહી ગંઠાવા સામે લડવા જરૂરી લોહીના શ્વેતકોષો અને પ્લેટલેટમાં ઘટાડો થઈ શકે, તેથી તેની સારવાર પહેલાં અને તે દરમિયાન તમારી નિયમિત લોહી પરીક્ષણ સાથે દેખરેખ રાખી શકાશે.
  • ઉઝરડાં પડે કે ઈજા થાય તેવી પ્રવૃત્તિઓ ન કરવી અને શરદી કે ચેપ લાગેલ વ્યક્તિઓનો સંપર્ક ટાળવો.
  • સારવાર દરમિયાન અને સારવારના અંતે 4 અઠવાડિયા સુધી તમારે રક્ત, વીર્ય કે સિરમનું દાન કરવું નહીં.
  • લિનાલિડોમાઈડની સારવાર દરમિયાન તીવ્ર માયલોજીનસ લ્યુકેમિયા, હોજકિન લિમ્ફોમા, ટયુમર લિસિસ સિંડ્રોમ, યકૃતની જીવલેણ સમસ્યા, ત્વચાની તીવ્ર પ્રતિક્રિયા અને હૃદયની જીવલેણ સમસ્યાઓ થવાનું જોખમ ઊભું થઈ શકે. તમારે લિનાલિડોમાઈડ લેવાના લાભ અને જોખમોની અગાઉથી ચર્ચા કરવી જોઇએ.
  • 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરોમાં લિનાલિડોમાઈડના ઉપયોગની ભલામણ નથી.
  • સારવારના ઓછામાં ઓછા 4 અઠવાડિયાના પહેલાં, તે દરમિયાન અને બંધ કર્યા પછી 4 અઠવાડિયા સુધી તમારે યોગ્ય ગર્ભનિરોધ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઇએ.
  • સારવાર પહેલાં, દર 4 અઠવાડિયે અને ત્યારબાદ બાળક ધરાવી શકતી સ્ત્રીઓએ ગર્ભાવસ્થા પરીક્ષણ કરવું જરૂરી બનશે.
  • તમે કોઈ તબીબી કે દાંતની સારવાર, સંકટકાલિન સંભાળ કે શસ્ત્રક્રિયા કરાવો તે પહેલાં તમે લિનાલિડોમાઈડ લેતાં હોવાની તમારા ડોકટર કે દંતચિકિત્સકને જાણ કરવી જોઇએ.
  • લિનાલિડોમાઈડ લો ત્યારે ડ્રાઇવ કરવું નહીં કે કે મશીનરીનો ઉપયોગ કરવો નહીં કેમ કે તેનાથી ચક્કર આવે, થાક લાગે, ઘેન આવે કે દૃષ્ટિમાં ઝાંખપ આવે.