Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Eltrombopag કેવી રીતે કાર્ય કરે

Eltrombopag એ લોહીમાં રસાયણોને વધારે છે, જે રક્તસ્ત્રાવને અટકાવવા અથવા ઘટાડવામાં મદદ કરે છે. એલ્ટ્રોમબોપાગ, એન્ટી હેમોરેજિક નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ અસ્થિમજ્જામાંથી પ્લેટલેટનું ઉત્ત્પાદન અને પ્રસરણને સક્રિય કરે છે.

Eltrombopag ની સામાન્ય આડઅસરો

ઉબકા, અતિસાર, ઉપલા શ્વસન તંત્રમાં ચેપ, ઊલટી, યકૃત એન્ઝાઇમમાં વૃદ્ધિ, સ્નાયુમાં દુખાવો , મૂત્રમાર્ગમાં ચેપ
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Eltrombopag માટે નિષ્ણાત સલાહ

  • 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો અને કિશોરોને એલ્ટ્રોમ્બોપેગ આપવાની સલાહ નથી.
  • જો તમને યકૃતનો રોગ હોય, તમારી શિરા કે ધમનીમાં (વધુ ઉંમર, વધુ વજન, તાજેતરની શસ્ત્રક્રિયાથી લાંબા સમયથી પથારીવશની સ્થિતિ, કેન્સર, મોંથી લેવાની ગર્ભનિરોધક ટીકડીઓની સારવાર, ધૂમ્રપાનને કારણે) લોહી ગંઠાવવાનું જોખમ હોય, અથવા લોહીમાં અસામાન્ય લોહી ગંઠાવાનો કૌટુંબિક ઈતિહાસ હોય તો એલ્ટ્રોમ્બોપેગ લેતાં પહેલાં તમારા ડોકટરને જણાવો.
  • જો તમને માયેલોડિસપ્લાસ્ટિક સિંડ્રોમ (સ્થિતિ કે જેમાં અસ્થિ મજ્જામાં રક્તકણો પક્વ થતાં નથી અથવા સ્વાસ્થ્યપ્રદ બનતાં નથી) હોય તો સાવધાની રાખવી કેમ કે એલ્ટ્રોમ્બોપેગથી આ સ્થિતિ વણસી શકે.
  • જ્યારે તમે એલ્ટ્રોમ્બોપેગથી સારવાર મેળવી રહ્યા હોવ ત્યારે રક્તકણના કાઉન્ટ (લાલ રક્તકણ, શ્વેત રક્તકણ અને પ્લેટલેટ), યકૃતની કામગીરી, અસ્થિ મજ્જાની કામગીરી, હૃદય, અને આંતરડામાં રક્તસ્ત્રાવ પર દેખરેખ રાખવા લોહીના પરીક્ષણોથી તમારી નિયમિતપણે તપાસ કરી શકાશે.
  • એલ્ટ્રોમ્બોપેગ લીધા પછી ડ્રાઈવ કરવું નહીં કે મશીનોનો ઉપયોગ કરવો નહીં કેમ કે તેનાથી સંકલનમાં સમસ્યા થઈ શકે છે.
  • જો તમે એલ્ટ્રોમ્બોપેગ અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો આ દવા લેવી નહીં.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.