Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Disulfiram ઉપયોગ

દારુની પરાધીનતા (આલ્કોહોલિઝમ) ની સારવારમાં Disulfiram નો ઉપયોગ કરાય છે

Available generics for Disulfiram

Order with generics and save upto 50%

Disulfiram કેવી રીતે કાર્ય કરે

Disulfiram એ શરીરમાં આલ્કોહોલના રૂપાંતરિત સ્વરૂપને તોડતાં રસાયણને અવરોધે છે. આનાથી શરીરમાં આલ્કોહોલના રૂપાંતરિત સ્વરૂપમાં વધારો થાય છે, જેનાથી દારૂ પીવો ત્યારે ખરાબ શારીરિક લાક્ષણિકતા થાય છે.
ડિસુલિફિરમ આલ્ડિહાઇડ ડિહાઇડ્રોજનેઝ ઇન્હીબીટર્સ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આલ્કોહોલ પીવાથી તે પ્રાકૃતિક વિભાજન દ્વારા આલ્ડિહાઇડ નામના રસાયણમાં ફેરવાય જાય છે, આ રસાયણ આગળ જઈને રસાયણિક (એન્જાઇમ) આલ્ડિહાઇડ ડિહાઇડ્રોજનેઝ દ્વારા વિભાજીત થઈ જાય છે જેનાથી આલ્કોહોલને ઉત્સર્જીત કરવામાં મદદ મળે છે. ડિસુલિફિરમ આ એન્ઝાઇમ આલ્હાઇડ હાઇડ્રોનેઝને અટકાવે છે જે લોહીમાં આલ્ડિહાઇડના સ્તરને વધારે છે. જેના પરિણામરૂપે દારૂ પીવાવાળા લોકોમાં ઘણી અપ્રિય પ્રતિક્રિયાઓ (જેને આલ્ડિહાઇડ સિન્ડ્રોમના નામથી પણ ઓળખાય છે) થાય છે જેમકે ચેહરો લાલ થવો, બળતરાની અનુભૂતિ, ગભરાટ સાથે માથાનો દુખાવો, પરસેવો, બેચેની, છતીમાં ગભરાટ, ચક્કર, ઉલ્ટી, દ્રષ્ટિમાં મૂશ્કેલી, માનસિક મૂંઝવણ, મુદ્રા સંબંધિત મુર્છા અને રુધિરાભિસરણ પતન કે જે લગભગ 1-4 કલાકો (દારૂના સેવનની માત્રા પર આધારિત)સુધી રહે છે. દારૂ પ્રત્યે સંવેદનશીલતા વિકસિત થઈ જાય છે જે લાંબા સમય સુધી રહે છે જેના પરિણામ સ્વરૂપે વ્યક્તિને ડિસુલિફિરમ બંધ કર્યાના ઘણા દિવસો પછી પણ દારૂ પીધા પછી અપ્રિય પ્રતિક્રિયાનો અનુભવ થાય છે.

Disulfiram ની સામાન્ય આડઅસરો

માથાનો દુખાવો, Metallic taste, થકાવટ, તંદ્રા
prefix_icon
Get medicines for Disulfiram
suffix_icon
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Disulfiram માટે નિષ્ણાત સલાહ

  • સારવાર દરમિયાન અને સારવાર બંધ કર્યા પછી 14 દિવસ સુધી દારૂ પીવો નહીં.
  • ડાયસલ્ફિરમથી સુસ્તી ચઢે અને થાક લાગે. જો તમને અસર થઈ હોય તો ડ્રાઇવ કરવું નહીં કે કે મશીનરીનો ઉપયોગ કરવો નહીં.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો ડાયસલ્ફિરમ ન લેવી.
  • ડાયસલ્ફિરમ લો તે પહેલાં તેની બધી બનાવટો, નોન-પ્રિસ્ક્રીપ્શન અને હર્બલ દવાઓ જે તમે લેતાં હોવ તે અંગે તમારા ડોકટરને જણાવો.
  • જે દર્દીઓ આલ્કોહોલ કે આલ્કોહોલની બનાવટો, જેવી કે ઉધરસની સિરપ, ટોનિક અને તેના જેવી દવાઓ લેતાં હોય કે તાજેતરમાં લઈ રહ્યા હોવ તેમણે ડાયસલ્ફિરમ લેવી જોઇએ નહીં, જો ડાયસલ્ફિરમ બંધ કર્યાના 2 અઠવાડિયા દરમિયાન કે તે સમયગાળામાં દારૂ પીઓ તો સંભવિત જીવલેણ પ્રતિક્રિયા પેદા થઇ શકે, જેની સાથે ચહેરા અને ગરદનમાં ફ્લશિંગ, શરીરનું ઉષ્ણતાપમાન વધવું, પરસેવો, ઊલટી જેવું લાગવું (ઉબકા), ઊલટી, ત્વચા પર ખંજવાળ આવે કે ફોલ્લી થાય, દૃષ્ટિમાં ઝાંખપ, શ્વાસમાં તકલીફ, ધબકારા વધવા, ઝડપી શ્વાસ, હૃદયના ઝડપી ધબકારા, લોહીનું નીચું દબાણ, અસાધારણ ધીમો શ્વાસ, છાતીમાં દુખાવો, અસાધારણ હૃદયની લય, કોમા, કે તાણ આવી શકે.
  • ડાયસલ્ફિરમની સારવાર બંધ કર્યા પછી જો તમે અચાનક આ પૈકી કોઈ લક્ષણ અનુભવો તો તત્કાલ તમારા ડોકટરની સલાહ લેવી.