Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Hyoscyamine ઉપયોગ

દુખાવો માટે Hyoscyamine નો ઉપયોગ કરાય છે

Hyoscyamine કેવી રીતે કાર્ય કરે

હિયોસિયામાઇન, એન્ટી મસ્કરિનિક નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ સ્નાયુઓના સંકોચન અને શારીરીક દ્રવ્ય જેમકે મ્યુકસ, પેટ અથવા આંતરડામાં એસિડના સ્ત્રાવને નિયંત્રિત કરતા એસિટાઇલ કોલાઇન નામના રસાયણના કાર્યને અવરોધે છે અને આમ આંતરડાની ગતિમાં ઘટાડો કરે છે, સ્નાયુઓને આરામ પહોંચાડે છે અને પાચનમાર્ગના સ્ત્રાવોને નિયંત્રિત કરે છે.

Hyoscyamine ની સામાન્ય આડઅસરો

ગભરામણ, મૂંઝવણ, કબજિયાત, આંખની કીકી પહોળી થવી, ચક્કર ચડવા, તંદ્રા, સૂકું મોં, ગળવામાં મૂશ્કેલી, પેશાબ કરવામાં મૂશ્કેલી, આંખની સમસ્યા, આંખના સ્નાયુમાં લકવો, તાવ, હૃદયમાં બળતરા, વધેલું ઇન્ટ્રાઓક્યુલર દબાણ, અનિદ્રા, ત્વચાની લાલાશ, ટેચીકાર્ડિઆ, ઊલટી, નિર્બળતા, વધેલી ખંજવાળયુક્ત ત્વચાની ફોલ્લી, એલર્જીયુક્ત પ્રતિક્રિયા
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Hyoscyamine માટે નિષ્ણાત સલાહ

  • જો તમને નીચેની કોઇપણ તબીબી સ્થિતિઓ હોય તો હ્યોસ્કીયામાઇન લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી : ચેતાનો વિકાર, અતિસક્રિય થાઇરોઇડ (હાઇપરથાઇરોડિઝમ), હ્રદયની સમસ્યાઓ (કોરોનરી હ્રદયનો રોગ, કન્જેસ્ટિવ હ્રદયની નિષ્ફળતા, હ્રદયના અનિયમિત ધબકારા), લોહીનું ઉંચું દબાણ, આંખની અંદર વધેલું દબાણ (ગ્લુકોમા), કિડનીનો રોગ, હિઆટલ હર્નિયા (એક પેટ અને અન્નનળી સાથે સંબંધિત સ્થિતિ જેનાથી એસિડ રીફ્લક્સ અને છાતીની બળતરાની સમસ્યાઓ થાય) અને માયસ્થેનિયા ગ્રેવિસ (એક રોગ જેનું ખુબ નબળાઇ અને અસાધારણ રીતે થાકેલા સ્નાયુ દ્વારા વર્ણન કરાય છે).
  • હ્યોસ્કીયામાઇનથી સુસ્તી, ચક્કર, ઝાંખી દ્રષ્ટિ, કે માથું ભમવું થઇ શકશે. જ્યાં સુધી તમને સારું ના લાગે ત્યાં સુધી ડ્રાઇવ કરવું નહીં કે કે મશીનરીનો ઉપયોગ કરવો નહીં.
  • તમે હ્યોસ્કીયામાઇન પર હોવ તે દરમિયાન દારૂ પીવો નહીં કે સુસ્તી (એટલે કે ઉંઘવાની ટીકડીઓ, સ્નાયુ રીલેક્સન્ટ) આવી શકે તેવી દવાઓનો ઉપયોગ કરવો નહીં કેમ કે તેનાથી વ્યસનની અસર થઇ શકે.
  • વધુ ગરમ કે ડીહાઇડ્રેટેડ ના થાવ તે માટે પૂર્વ સાવચેતીઓ રાખવી કેમ કે આનાથી હીટસ્ટ્રોક થઇ શકશે.
  • સૂકા મોંમાં રાહત મેળવવાં ખુબ પ્રમાણમાં પ્રવાહીપીવો અને મોંનું સારું સ્વાસ્થ્ય જાળવો.
  • સૂર્યપ્રકાશમાં જાવ ત્યારે વધુ સંભાળ રાખવી કેમ કે હ્યોસ્કીયામાઇનથી તમારી આંખો સૂર્યપ્રકાશ પ્રત્યે વધું સંવેદનશીલ બનાવી શકશે.
  • હંમેશા હ્યોસ્કીયામાઇનને કોઇપણ એન્ટાસિડ લેવાના 1 કલાક પહલાં અથવા લીધના 2 કલાક પછી લવી.
  • જો તમે દાંતની શસ્ત્રક્રિયા સહિતની શસ્ત્રક્રિયા કરાવવાના હોવ તો તમારા ડોકટર કે દાંતના ચિકિત્સકને જણાવો કે તમે હ્યોસ્કીયામાઇન લો છો.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.