Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Vilazodone ઉપયોગ

હતાશા ની સારવારમાં Vilazodone નો ઉપયોગ કરાય છે

Vilazodone કેવી રીતે કાર્ય કરે

હતાશામાં સિરોટોનિનનાં સ્તરો મગજમાં વધારીને Vilazodone કાર્ય કરે છે. સિરોટોનિન મગજમાં રહેલ રાસાયણિક સંદેશવાહકો પૈકી એક છે જે મિજાજ નિયમનમાં મદદરૂપ થાય છે.

Vilazodone ની સામાન્ય આડઅસરો

ઉબકા, ઊલટી, અનિદ્રા, ચક્કર ચડવા, અતિસાર
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Vilazodone માટે નિષ્ણાત સલાહ

  • હંમેશા ખોરાકની સાથે વિલાઝોડેન લેવી.
  • તમારા ડોકટરની સલાહ વિના, તમને સારું લાગી રહ્યું હોય તો પણ વિલાઝોડેન લેવાનું બંધ કરવું નહીં.
  • જો તમને આત્મહત્યા કે હિંસક વિચારો, ચિંતા કે ડરનો હુમલો, અસામાન્ય મિજાજ બદલાવ, બેચેની, વ્યાકુળતા, ઉંઘવામાં મુશ્કેલી, કે અસાધારણ રીતે વાત કરવામાં વધારો (ઉન્માદનો હુમલો)નો અનુભવ થાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.li>
  • જો તમને મુંઝવણ, ઘટેલ સંકલન, મૂર્છા, ભ્રમણા (કશુંક હાજર ના હોય પણ દેખાવાની ભાવના), માથાનો દુખાવો, યાદશક્તિની સમસ્યાઓ, માનસિક કે મિજાજમાં બદલાવ, વાઇ, સુસ્તી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, અથવા નબળાઇ, સ્નાયુની સજ્જડતા કે જકડાઇનો અનુભવ થાય તો ડોકટરની સલાહ લેવી.
  • જો તમને લોહીના ઓછા વોલ્યુમ કે લોહીના ઓછા દબાણ, લોહીમાં સોડિયમના ઓછા સ્તર, ડીહાઇડ્રેશનથી પીડાવાનો ઇતિહાસ હોય કે તમે ઓછા મીઠા (સોડિયમ) આહાર પર હોવ તો તમારા ડોકટરને જણાવો.
  • જો તમને કે તમારા કુટુંબના સભ્યને દ્વિધ્રુવી વિકાર (હતાશાનો ઉન્માદ) અથવા અન્ય માનસિક ે મિજાજની સમસ્યાઓ, દારૂ કે પદાર્થના દૂરુપયોગનો ઇતિહાસ હોય અથવા જો તમે દારૂ પીતા હોવ તો તમારા ડોકટરનો જણાવો.
  • જો તમને યકૃત કે કિડનીની સમસ્યાઓ, રક્તસ્ત્રાવની સમસ્યાઓ, આંખમાં વધેલ દબાણ (ગ્લુકોમા), અથવા વાઇ (આંચકી) હોય તો તમારા ડોકટરનો જણાવો.
  • ડ્રાઈવિંગ કરી રહ્યા હોવ અથવા કોઇ મશીનનો ઉપયોગ કરી રહ્યા હોવ તે દરમિયાન વિલાઝોડેન લેવી નહીં કેમ કે તેનાથી ચક્કર આવી શકશે.
  • વિલાઝોડેનની સારવાર દરમિયાન દારૂ પીવો નહીં કેમ કે તેનાથી તેની આડઅસરો વણસી શકે છે.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો વિલાઝોડેન લેવી નહીં.
  • જો વિલાઝોડેન અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો તે લેવી નહીં.
  • જો તમે મોનોમાઇન ઓક્સિડેઝ ઇન્હિબિટર્સ (MAOIs) જેવી હતાશા વિરોધી દવાઓ લઇ રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવો નહીં.